Tuesday, 4 November 2025
Thursday, 26 June 2025
અષાઢી બીજ : રથ યાત્રા
અષાઢી બીજ : રથયાત્રા
હિન્દૂ તારિખયા પ્રમાણે અષાઢ માસ ના શુક્લ પક્ષની બીજ એટલે અષાઢી બીજ. આ તહેવારને રથયાત્રા અથવા રથ તહેવાર પણ કહેવામાં આવે છે. આ તહેવારનું મુખ્ય કેન્દ્ર જગન્નાથ પુરી મંદિર છે, જગન્નાથ મંદિર ચાર હિન્દૂ તીર્થસ્થાનોમાંનું એક છે જે ચાર યાત્રાધામો તરીકે ઓળખાય છે, જે ઓડિશા રાજ્યમાં સ્થિત છે. ભગવાન જગન્નાથ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ માનવામાં આવે છે અને વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ દ્વારા પણ આદરણીય છે. જગન્નાથનો શાબ્દિક અર્થ બ્રહ્માંડનો ભગવાન છે. જેની અપેક્ષા કોઈના જીવનકાળ દરમિયાન થવાની છે. ભગવાન જગન્નાથની પૂજા તેમના ભાઈ બલભદ્ર અને તેમની બહેન દેવી સુભદ્રા સાથે કરવામાં આવે છે.
કહેવાય છે કે એક વાર ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ રાણીઓએ રોહિણી માતાને (બલરામની માતા) પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છે છતા કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે. ત્યારે રોહિણી માતા બોલયા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમા ન પ્રવેશે તો હું કહું. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશવા ન દેતા. પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનુ વચન આપ્યુ.
ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે, આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. દરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે.
જગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે પણ વર્ષમાં એક વખત, અષાઢી બીજના દિવસે, ત્રણે મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડા ડન્ડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિ.મી. દૂર સ્થિત ગુંડિચા મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. આ રથ ખુબ જ મોટાં પૈડાંવાળા, સંપૂર્ણ કાષ્ટનાં બનેલા હોય છે. જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિકજનો દ્વારા ખેંચીને લઈ જવાય છે. જગન્નાથજીનો રથ આશરે ૪૫ ફિટ ઊંચો અને ૩૫ ફીટનો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવતા બે માસ જેટલો સમય લાગે છે.
મૂર્તિઓને જગન્નાથ મંદિરેથી રથમાં ગુંડિચા મંદિરે લઈ જવાય છે. જ્યાં તે નવ દિવસ સુધી રહે છે. તે પછી, મૂર્તિઓ ફરી રથ પર બિરાજીને શ્રી મંદિરે પધારે છે એને “બહુડા યાત્રા” કહે છે. આ પરત વેળાની યાત્રામાં ત્રણે રથ મૌસીમાં મંદિરે વિરામ લે છે અને ત્યાં ભાવિકો “પોડા પીઠા”નો પ્રસાદ લે છે.
જગન્નાથની નગરયાત્રા જે રથમાં નીકળે છે તેનુ નામ નંદીઘોષ છે. કહેવાય છે કે આ રથ ઈન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે, આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે. ભાઈ બળભદ્રને મળેલ રથ તાલવનના દેવતાઓએ આપેલ હોવાથી તેનુ નામ તાલ ધ્વજ છે અને સુભદ્રાના રથનુ નામ પદ્માધ્વજ છે. રથયાત્રા દરમિયાન દોરડાઓ દ્વારા રથને ખેંચવાના કાર્યને એક અત્યંત ધાર્મિક કાર્ય માનવામાં આવે છે, આ માન્યતા જ વિશ્વભરના લાખો પ્રવાસીઓને રથયાત્રા દરમિયાન આકર્ષે છે.
અષાઢી બીજ એટલે કચ્છનું નવું વર્ષ. નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કચ્છની પહેલી રાજધાની લાખિયારવીરાને ખાસ શણગારવામાં આવ્યું હતું. કચ્છભરમાં નવ વર્ષના વધામણા કરવામાં આવે છે. અષાઢી બીજના દિવસે જ કેમ કચ્છનું નવું વર્ષ શરૂ થાય છે, તેનો ઇતિહાસ પણ રસપ્રદ છે, ૧૬૦૫ માં કચ્છના પ્રથમ મહારાવે તેની સ્થાપના કરી હતી. કચ્છના રાજા જામ લાખો ફૂલાણી રાજ્યની સીમા નક્કી કરવા અને છેડો શોધવા માટે નીકળ્યા હતા, પરંતુ તેમને સફળતા મળી નહીં. એ સમયે અષાઢ મહિનો શરૂ થયો હતો અને વરસાદ પણ વધુ પડવાથી ચારે કોર હરિયાળી ફેલાયેલી હતી. જે જોઇને રાજા પ્રસન્ન થયા અને અષાઢી બીજના દિવસને કચ્છનું નવું વર્ષ તરીકે ઉજવવાનું ફરમાન કર્યું હતું. ત્યારથી કચ્છમાં આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. આશરે ૮૬૦ વર્ષથી કચ્છી માડુંઓ અષાઢી બીજના દિનને નવા વર્ષ તરીકે ધામધૂમથી ઉજવતા આવ્યા છે. ખેડુતો પોતાના ખેતીના સાધનોની પુજા કરે છે. ઘરની બહાર દીવા અને રોશની કરી, ભગવાનને તથા વડીલોને પગે લાગી મીઠાઇઓ એક બીજાને ખવડાવી સર્વેને નવા વર્ષની શુભેચ્છા આપે છે.
ભગવાન શ્રીકૃષ્ણ, બલારામ અને સુભદ્રાની પ્રતિમાઓ સાથે દર વર્ષે ત્રણ વિશાળ રથમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે, જનકપુરથી જગન્નાથ પુરીના મંદિરે ભક્તો દ્વારા વિશાળ રથ ખેંચાય છે. દર 12 વર્ષે મૂર્તિઓ બદલવામાં આવે છે – નવી મૂર્તિઓ પણ અધૂરી રહે છે.
"ભક્તો ને મળવાનો અલગ છે મિજાજ,
મળવા આવ્યો છે આજ મારો જગન્નાથ."
જાણવા જેવું
- જગનાથ પુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે.
- આ રથોની ઉંચાઇ લગભગ ૪૫ ફુટ (૪-૫ માળ) જેટલી હોય છે.
- પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી.
- રથયાત્રાને દિવસે નાત જાતનાં ભેદ ભાવ વગર હર કોઇ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે.
- અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે ફણગાવેલાં મગ, કાકડી, કેરી અને જાંબુનો હજારો (૩૦,૦૦૦-૪૦,૦૦૦) કીલો પ્રસાદ વહેંચવામાં આવે છે.
- પુરીની રથયાત્રામાં જગન્નાથનાં રથનું નામ નંદીઘોષ છે.
- અંગ્રેજી ભાષામાં, અતિશક્તિશાળી જેને રોકી ન શકાય તેવું, રસ્તામાં આવનાર તમામ અવરોધોને કચડી કાઢનાર, વગેરે અર્થમાં વપરાતો શબ્દ ‘જગરનોટ’ (Juggernaut), જગન્નાથપુરીની રથયાત્રા પરથી લેવામાં આવેલ છે.
Wednesday, 18 December 2024
રામચરિત માનસની કેટલીક રસપ્રદ હકીકતો
રામચરિત માનસની કેટલીક રસપ્રદ હકીકતો
1: ~ રામજી લંકામાં 111 દિવસ રહ્યા.
2: ~ સીતાજી લંકામાં રહ્યા હતા = 435 દિવસ.
3: માનસમાં શ્લોક સંખ્યા = 27 છે.
4: માનસમાં ચોપાઇ સંખ્યા = 4608.
5: માનસમાં દોહા સંખ્યા = 1074.
6: ~ માનસમાં સોરઠા સંખ્યા = 207.
7: માનસમાં શ્લોક સંખ્યા = 86 છે.
8: ~ સુગ્રીવ પાસે તાકાત હતી =
10000 હાથી ની..
9: ~ સીતા રાણી બની = 33 વર્ષની ઉંમરે.
10: માનસની રચના સમયે તુલસીદાસની ઉંમર = 77 વર્ષ હતી.
11: પુષ્પક વિમાનની ઝડપ = 400 માઇલ / કલાક હતી.
12: રામદલ અને રાવણની ટીમ વચ્ચે યુદ્ધ = 87 દિવસ.
13: ~ રામ રાવણ યુદ્ધ = 32 દિવસ ચાલ્યું.
14: ~ પુલ બાંધકામ = 5 દિવસમાં પૂર્ણ.
15: ~ નલનીલના પિતા = વિશ્વકર્મા જી.
16: ~ ત્રિજટા ના પિતા = વિભીષણ.
17: ~ વિશ્વામિત્ર રામને લઈગયા= 10 દિવસ માટે..
18: ~ રામ એ પ્રથમ રાવણનો વધ કર્યો હતો = 6 વર્ષની ઉંમરે.
19: ~ રાવણ પુનર્જીવિત થયો = સુષેન વૈદે નાભિમાં અમૃત રાખ્યું.
શ્રી રામના પરદાદાનું નામ શું હતું?
નહિંતર જાણો-
1 - હું બ્રહ્માજીથી મરીચ થયા,
2 - મરીચીનો પુત્ર કશ્યપ બન્યો,
3 - કશ્યપનો પુત્ર વિવસ્વાન હતો,
4 - વિવસ્વાન ના વૈવસ્વત મનુ બન્યા.વૈવસ્વત મનુ સમયે પ્રલય થયો,
5 - વૈવસ્વત્ મનુના દસ પુત્રોમાંથી એકનું નામ ઇક્ષ્વાકુ હતું, ઇક્ષ્વાકુએ અયોધ્યાને પોતાની રાજધાની બનાવી અને આ રીતે ઇક્ષ્વાકુ કુલની સ્થાપના કરી.
6 - ઇક્ષ્વાકુનો પુત્ર કુક્ષી બન્યો,
7 - કુક્ષીના પુત્રનું નામ વિકુક્ષી હતું,
8 - વિકુક્ષીના પુત્રો બાણ બન્યા,
9 - બાણના પુત્રો અનરણ્ય બન્યા,
10- તે અરણ્યથી પૃથ્વીરાજ થયા,
11- પૃથુ થી ત્રિશંકુનો જન્મ થયો,
12- ત્રિશંકુનો પુત્ર ધુંધુમાર બન્યો,
13- ધંધુમારના પુત્રનું નામ યુવનાશ્વ હતું,
14- યુવનાશ્વના પુત્ર માંધાતા બન્યા,
15- સુસંધીનો જન્મ માંધાતામાંથી થયો હતો,
16- સુસંધિને બે પુત્રો હતા- ધ્રુવસંધિ અને પ્રસેનજિત,
17- ધ્રુવસંધિનો પુત્ર ભરત બન્યો,
18- ભરતનો પુત્ર અસિત બન્યો,
19- અસિતનો પુત્ર સગર બન્યો,
20- સગરાના પુત્રનું નામ અસમંજ હતું,
21- અસમંજનો પુત્ર અંશુમન બન્યો,
22- અંશુમનનો પુત્ર દિલીપ હતો,
23- દિલીપનો પુત્ર ભગીરથ બન્યો, ભગીરથ ગંગાને ધરતી પર ઉતાર્યા હતા.. ભગીરથનો પુત્ર કકુત્સ્થ હતો.
24- કકુત્સ્થનો પુત્ર રઘુ બન્યો, રઘુ ખૂબ જ તેજસ્વી અને શકિતશાળી રાજા હોવાને કારણે, આ રાજવંશનું નામ રઘુવંશ તેના પરથી પડ્યું, ત્યારથી શ્રી રામના પરિવારને રઘુ કુળ પણ કહેવામાં આવે છે.
25- રઘુના પુત્રો પ્રવૃદ્ધ થયા,
26- પ્રવૃદ્ધનો પુત્ર શંખણ હતો,
27- શંખણનો પુત્ર સુદર્શન હતો.
28- સુદર્શનના પુત્રનું નામ અગ્નિવર્ણા હતું,
29- અગ્નિવર્ણાના પુત્રોનો શિઘ્રજ થયો,
30- શિઘ્રજના પુત્ર મરુ
31- મરુનો પુત્ર પ્રસુશ્રુકા હતો,
32- પ્રસૂશ્રુકનો પુત્ર અંબરીશ હતો,
33- અંબરીશના પુત્રનું નામ નહુષ હતું,
34- નહુષનો પુત્ર યયાતી હતો,
35- યયાતિના પુત્રો નાભાગ થયા,
36- નાભાગના પુત્રનું નામ અજ હતું,
37- અજના પુત્ર દશરથ બન્યા,
38- દશરથને ચાર પુત્રો રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન હતા.
આમ શ્રી રામનો જન્મ બ્રહ્માની ઓગણચાલીસમી (39) પેઢી માં થયો હતો. શેર કરો જેથી દરેક હિન્દુને આ માહિતી મળે ...
* આ માહિતી તમને મહિનાઓની મહેનત બાદ રજૂ કરવામાં આવી છે.
* ત્રણ મોકલીને ધર્મનો લાભ મેળવો.
#રામ_Jiચરિત_માનસ.જય શ્રી રામ રાજા રામ.*આપણી નવી પેઢી ધર્મથી દૂર થતી જાય છે... સંખ્યા થી તો હિન્દુ ધર્મ પાળતી પ્રજા ૧૦૦ કરોડ ઉપર છે...પણ આપણા મહાન હિન્દુ ધર્મ વિશે બાળકો પાસે સાચી માહિતી નથી... તો તમે પણ આ માહિતી વાંચો અને તમારા બાળકો ને પણ વંચાવો....
*(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :*
1. ગર્ભાધાન સંસ્કાર
2. પુંસવન સંસ્કાર
3.સીમંતોન્ન્યન સંસ્કાર
4. જાતકર્મ સંસ્કાર
5. નામકરણ સંસ્કાર
6. નિષ્ક્રમણ સંસ્કાર
7. અન્નપ્રાશન સંસ્કાર
8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર
9. કર્ણવેધ સંસ્કાર
10. ઉપનયન સંસ્કાર
11. વેદારંભ સંસ્કાર
12. કેશાન્ત સંસ્કાર
13. સમાવર્તન સંસ્કાર
14. વિવાહ સંસ્કાર
15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર
16. અગ્નિ સંસ્કાર
*(2) હિન્દુધર્મના ઉત્સવો :*
1. નૂતન વર્ષારંભ
2. ભાઈબીજ
3. લાભપાંચમ
4. દેવદિવાળી
5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)
6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ
7. વસંત પંચમી
8. શિવરાત્રી
9. હોળી
10. રામનવમી
11. અખાત્રીજ
12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા)
13. અષાઢી બીજ
14. ગુરુ પૂર્ણિમા
15. શ્રાવણી-રક્ષાબંધન
16. જન્માષ્ટમી
17. ગણેશ ચતુર્થી
18. શારદીય નવરાત્રી
19. વિજ્યા દશમી
20. શરદપૂર્ણિમા
21. ધનતેરસ
22. દીપાવલી.
*(3) હિન્દુ – તીર્થો : ભારતના ચાર ધામ :*
1. દ્વારિકા
2. જગન્નાથપુરી
3. બદરીનાથ
4. રામેશ્વર
*( 4 ) હિમાલ હિમાલય ના ચાર ધામ :*
1. યમુનોત્રી
2. ગંગોત્રી
3. કેદારનાથ
4. બદરીનાથ
*(5) હિમાલયના પાંચ કેદાર :*
1. કેદારનાથ
2. મદમહેશ્વર
3. તુંગનાથ
4. રુદ્રનાથ
5. કલ્પેશ્વર
*ભારતની સાત પવિત્ર પુરી :*
1. અયોધ્યા
2. મથુરા
3. હરિદ્વાર
4. કાશી
5. કાંચી
6.. અવંતિકા
7. દ્વારિકા
*દ્વાદશ જ્યોતિલિંગ :*
1. મલ્લિકાર્જુન (શ્રી શૈલ – આંધ્ર પ્રદેશ)
2. સોમનાથ (પ્રભાસ પાટણ – ગુજરાત)
3. મહાકાલ (ઉજ્જૈન –મધ્યપ્રદેશ)
4. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર)
5. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ)
6. ભીમાશંકર (મહારાષ્ટ્ર)
7. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર)
8. નાગનાથ (દ્વારિકા પાસે – ગુજરાત)
9. કાશી વિશ્વનાથ (કાશી – ઉત્તરપ્રદેશ)
10. રામેશ્વર (તમિલનાડુ)
11. કેદારનાથ (ઉત્તરાંચલ)
12. ઘૃષ્ણેશ્વર (દેવગિરિ-મહારાષ્ટ્ર)
*અષ્ટવિનાયક ગણપતિ :*
1. ઢુંઢીરાજ – વારાણસી
2. મોરેશ્વર-જેજૂરી
3. સિધ્ધટેક
4. પહ્માલય
5. રાજૂર
6. લેહ્યાદ્રિ
7. ઓંકાર ગણપતિ – પ્રયાગરાજ
8. લક્ષવિનાયક – ઘુશ્મેશ્વર
*શિવની અષ્ટમૂર્તિઓ :*
1. સૂર્યલિંગ કાશ્મીરનું માર્તડ મંદિર / ઓરિસ્સાનું કોર્ણાક મંદિર / ગુજરાતનું મોઢેરાનું મંદિર
2. ચંદ્રલિંગ – સોમનાથ મંદિર
3. યજમાન લિંગ – પશુપતિનાથ (નેપાલ)
4. પાર્થિવલિંગ – એકામ્રેશ્વર (શિવકાંશી)
5. જલલિંગ – જંબુકેશ્વર (ત્રિચિનાપલ્લી)
6. તેજોલિંગ – અરુણાચલેશ્વર (તિરુવન્નુમલાઈ)
7. વાયુલિંગ – શ્રી કાલહસ્તીશ્વર
8. આકાશલિંગ – નટરાજ (ચિદંબરમ)
*પ્રસિધ્ધ 24 શિવલિંગ :*
1. પશુપતિનાથ (નેપાલ)
2. સુંદરેશ્વર (મદુરા)
3. કુંભેશ્વર (કુંભકોણમ)
4. બૃહદીશ્વર (તાંજોર)
5. પક્ષીતીર્થ (ચેંગલપેટ)
6. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર)
7. અમરનાથ (કાશ્મીર)
8. વૈદ્યનાથ (કાંગજા)
9. તારકેશ્વર (પશ્ચિમ બંગાળ)
10. ભુવનેશ્વર (ઓરિસ્સા)
11. કંડારિયા શિવ (ખાજુરાહો)
12. એકલિંગજી (રાજસ્થાન)
13. ગૌરીશંકર (જબલપુર)
14. હરીશ્વર (માનસરોવર)
15. વ્યાસેશ્વર (કાશી)
16. મધ્યમેશ્વર (કાશી)
17. હાટકેશ્વર (વડનગર)
18. મુક્તપરમેશ્વર (અરુણાચલ)
19. પ્રતિજ્ઞેશ્વર (કૌંચ પર્વત)
20. કપાલેશ્વર (કૌંચ પર્વત)
21.કુમારેશ્વર (કૌંચ પર્વત)
22. સર્વેશ્વર (ચિત્તોડ)
23. સ્તંભેશ્વર (ચિત્તોડ)
24. અમરેશ્વર (મહેન્દ્ર પર્વત)
*સપ્ત બદરી :*
1. બદરીનારાયણ
2. ધ્યાનબદરી
3. યોગબદરી
4. આદિ બદરી
5. નૃસિંહ બદરી
6. ભવિષ્ય બદરી
7.. વૃધ્ધ બદરી.
*પંચનાથ :*
1. બદરીનાથ
2. રંગનાથ
3. જગન્નાથ
4. દ્વારિકાનાથ
5. ગોવર્ધનનાથ
*પંચકાશી :*
1. કાશી (વારાણસી)
2. ગુપ્તકાશી (ઉત્તરાખંડ)
3.ઉત્તરકાશી (ઉત્તરાખંડ)
4. દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ)
5. શિવકાશી
*સપ્તક્ષેત્ર*
: 1. કુરુક્ષેત્ર (હરિયાણા)
2. હરિહિર ક્ષેત્ર (સોનપુર-બિહાર)
3. પ્રભાસ ક્ષેત્ર (સોમનાથ – ગુજરાત)
4. રેણુકા ક્ષેત્ર (મથુરા પાસે, ઉત્તરપ્રદેશ)
5. ભૃગુક્ષેત્ર (ભરૂચ-ગુજરાત)
6. પુરુષોત્તમ ક્ષેત્ર (જગન્નાથપુરી – ઓરિસ્સા)
7. સૂકરક્ષેત્ર (સોરોં – ઉત્તરપ્રદેશ)
*પંચ સરોવર :*
1. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત)
2. નારાયણ સરોવર (કચ્છ)
3. પંપા સરોવર (કર્ણાટક)
4. પુષ્કર સરોવર (રાજસ્થાન)
5. માનસ સરોવર (તિબેટ)
*નવ અરણ્ય (વન) :*
1. દંડકારણ્ય (નાસિક)
2. સૈન્ધાવારણ્ય (સિન્ધુ નદીના કિનારે)
3. નૈમિષારણ્ય (સીતાપુર – ઉત્તરપ્રદેશ)
4. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા)
5. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા)
6. ઉત્પલાવર્તક (બ્રહ્માવર્ત – કાનપુર)
7. જંબૂમાર્ગ (શ્રી રંગનાથ – ત્રિચિનાપલ્લી)
8. અર્બુદારણ્ય (આબુ)
9. હિમવદારણ્ય (હિમાલય)
*ચૌદ પ્રયાગ :*
1. પ્રયાગરાજ (ગંગા,યમુના, સરસ્વતી)
2. દેવપ્રયાગ (અલકનંદા, ભાગીરથી)
3. રુદ્રપ્રયાગ (અલકનંદા, મંદાકિની)
4. કર્ણપ્રયાગ (અલકનંદા, પિંડારગંગા)
5. નંદપ્રયાગ (અલકનંદા, નંદા)
6. વિષ્ણુપ્રયાગ (અલકનંદા, વિષ્ણુગંગા)
7. સૂર્યપ્રયાગ (મંદાકિની, અલસતરંગિણી)
8. ઈન્દ્રપ્રયાગ (ભાગીરથી, વ્યાસગંગા)
9. સોમપ્રયાગ (મંદાકિની, સોમગંગા)
10. ભાસ્કર પ્રયાગ (ભાગીરથી, ભાસ્કરગંગા)
11. હરિપ્રયાગ (ભાગીરથી, હરિગંગા)
12. ગુપ્તપ્રયાગ (ભાગીરથી, નીલગંગા)
13. શ્યામગંગા (ભાગીરથી, શ્યામગંગા)
14. કેશવપ્રયાગ (ભાગીરથી, સરસ્વતી)
*પ્રધાન દેવીપીઠ :*
1. કામાક્ષી (કાંજીવરમ્ – તામિલનાડુ)
2. ભ્રમરાંબા (શ્રીશૈલ –આંધ્રપ્રદેશ)
3. કન્યાકુમારી (તામિલનાડુ)
4. અંબાજી (ઉત્તર ગુજરાત)
5. મહાલક્ષ્મી (કોલ્હાપુર, મહારાષ્ટ્ર)
6. મહાકાલી (ઉજ્જૈન-મધ્યપ્રદેશ)
7. લલિતા (પ્રયાગરાજ-ઉત્તરપ્રદેશ)
8. વિંધ્યવાસિની (વિંધ્યાચલ-ઉત્તરપ્રદેશ)
9. વિશાલાક્ષી (કાશી, ઉત્તરપ્રદેશ)
10. મંગલાવતી (ગયા-બિહાર)
11. સુંદરી (અગરતાલ, ત્રિપુરા)
12. ગૃહેશ્વરી (ખટમંડુ-નેપાલ)
*શ્રી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પાંચ પીઠ :*
1. જ્યોતિષ્પીઠ (જોષીમઠ – ઉત્તરાંચલ)
2. ગોવર્ધંપીઠ (જગન્નાથપુરી-ઓરિસ્સા)
3. શારદાપીઠ (દ્વારિકા-ગુજરાત)
4. શ્રૃંગેરીપીઠ (શ્રૃંગેરી – કર્ણાટક)
5. કામોકોટિપીઠ (કાંજીવરમ – તામિલનાડુ)
*(4) ચાર પુરુષાર્થ :*
1. ધર્મ
2. અર્થ
3. કામ
4. મોક્ષ
(વૈષ્ણવો ‘પ્રેમ’ને પંચમ પુરુષાર્થ ગણે છે. )
*(5) ચાર આશ્રમ :*
1. બ્રહ્મચર્યાશ્રમ
2. ગૃહસ્થાશ્રમ
3. વાનપ્રસ્થાશ્રમ
4. સંન્યાસાશ્રમ
*(6) હિન્દુ ધર્મની કેટલીક મુલ્યવાન પરંપરાઓ :*
1. યજ્ઞ
2. પૂજન
3. સંધ્યા
4. શ્રાધ્ધ
5. તર્પણ
6. યજ્ઞોપવીત
7. સૂર્યને અર્ધ્ય
8. તીર્થયાત્રા
9. ગોદાન
10. ગોરક્ષા-ગોપોષણ
11. દાન
12.ગંગાસ્નાન
13.યમુનાપાન
14. ભૂમિપૂજન શિલાન્યાસ વાસ્તુવિધિ
15.સૂતક
16.તિલક
17.કંઠી – માળા
18. ચાંદલો – ચૂડી – સિંદૂર
19. નૈવેદ્ય
20. મંદિરમાં દેવ દર્શન, આરતી દર્શન
21. પીપળે પાણી રેડવું
22. તુલસીને જળ આપવું
23. અન્નદાન – અન્નક્ષેત્ર
*આપણા કુલ 4 વેદો છે. :*
1. ઋગવેદ
2. સામવેદ
3. અથર્વેદ
4. યજુર્વેદ
*ભારતીય તત્વજ્ઞાનની આધારશીલા પ્રસ્થાનત્રયી કહેવાય જેમાં ત્રણ ગ્રંથોનો સમાવેશ થાય છે.:*
1. ઉપનીષદો
2. બ્રમ્હસુત્ર
3. શ્રીમદ ભગવદગીતા
*આપણા કુલ 6 શાસ્ત્ર છે.:*
1. વેદાંગ
2. સાંખ્ય
3. નિરૂક્ત
4. વ્યાકરણ
5. યોગ
6. છંદ
*આપણી 7 નદી :*
1. ગંગા
2. યમુના
3. ગોદાવરી
4. સરસ્વતી
5. નર્મદા
6. સિંધુ
7. કાવેરી
*આપણા 18 પુરાણ :*
1. ભાગવતપુરાણ
2. ગરૂડપુરાણ
3. હરિવંશપુરાણ
4. ભવિષ્યપુરાણ
5. લિંગપુરાણ
6. પદ્મપુરાણ
7. બાવનપુરાણ
8. બાવનપુરાણ
9. કૂર્મપુરાણ
10. બ્રહ્માવતપુરાણ
11. મત્સ્યપુરાણ
12. સ્કંધપુરાણ
13. સ્કંધપુરાણ
14. નારદપુરાણ
15. કલ્કિપુરાણ
16. અગ્નિપુરાણ
17. શિવપુરાણ
18. વરાહપુરાણ
*પંચામૃત :*
1. દૂધ
2. દહીં
3. ઘી
4. મધ
5. સાકર
*પંચતત્વ :*
1. પૃથ્વી
2. જળ
3. વાયુ
4. આકાશ
5. અગ્નિ
*ત્રણ ગુણ :*
1. સત્વ
2. રજ
3. તમસ
*ત્રણ દોષ :*
1. વાત
2. પિત્ત
3. કફ
*ત્રણ લોક :*
1. આકાશ
2. મૃત્યુલોક
3. પાતાળ
*સાત સાગર :*
1. ક્ષીર સાગર
2. દૂધ સાગર
3. ધૃત સાગર
4. પથાન સાગર
5. મધુ સાગર
6. મદિરા સાગર
7. લડુ સાગર
*સાત દ્વીપ :*
1. જમ્બુ દ્વીપ
2. પલક્ષ દ્વીપ
3. કુશ દ્વીપ
4. પુષ્કર દ્વીપ
5. શંકર દ્વીપ
6. કાંચ દ્વીપ
7. શાલમાલી દ્વીપ
*ત્રણ દેવ :*
1. બ્રહ્મા
2. વિષ્ણુ
3. મહેશ
*ત્રણ જીવ :*
1. જલચર
2. નભચર
3. થલચર
*ત્રણ વાયુ :*
1. શીતલ
2. મંદ
3. સુગંધ
*ચાર વર્ણ :*
1. બ્રાહ્મણ
2. ક્ષત્રિય
3. વૈશ્ય
4. ક્ષુદ્ર
*ચાર ફળ :*
1. ધર્મ
2. અર્થ
3. કામ
4. મોક્ષ
*ચાર શત્રુ :*
1. કામ
2. ક્રોધ
3. મોહ,
4. લોભ
*અષ્ટધાતુ :*
1. સોનું
2. ચાંદી
3. તાબું
4. લોખંડ
5. સીસુ
6. કાંસુ
7. પિત્તળ
8. રાંગુ
*પંચદેવ :*
1. બ્રહ્મા
2. વિષ્ણુ
3. મહેશ
4. ગણેશ
5. સૂર્ય
*ચૌદ રત્ન :*
1. અમૃત
2. ઐરાવત હાથી
3. કલ્પવૃક્ષ
5. કૌસ્તુભમણિ
6. ઉચ્ચૈશ્રવા ઘોડો
7. પચજન્ય શંખ
8. ચન્દ્રમા
9. ધનુષ
10. કામધેનુ
11. ધનવન્તરિ
12. રંભા અપ્સરા
13. લક્ષ્મીજી
14. વારુણી
15. વૃષ
*નવધા ભક્તિ :*
1. શ્રવણ
2. કીર્તન
3. સ્મરણ
4. પાદસેવન
5. અર્ચના
6. વંદના
7. મિત્ર
8. દાસ્ય
9. આત્મનિવેદન
*ચૌદભુવન :*
1. તલ
2. અતલ
3. વિતલ
4. સુતલ
5. સસાતલ
6. પાતાલ
7. ભુવલોક
8. ભુલૌકા
9. સ્વર્ગ
10. મૃત્યુલોક
11. યમલોક
12. વરૂણલોક
13. સત્યલોક
14. બ્રહ્મલોક
( આ માહીતી બીજાને પણ મોકલો )
.... ૐ નમ શિવાય
Monday, 16 December 2024
બાળકોને ‘આર્થિક સંસ્કાર’ કેવી રીતે આપીશું? અને છેતરપીંડીથી કેમ બચાવીશુ?
બાળકોને ‘આર્થિક સંસ્કાર’ કેવી રીતે આપીશું? અને છેતરપીંડીથી કેમ બચાવીશુ?
-વિશાલ ભાદાણી-
ગત વર્ષે ભારતમાં લગભગ 23 લાખ ઓનલાઈન ફ્રોડ નોંધાયા! આમાં મોટાભાગના આર્થિક છેતરપિંડીના કેસ છે. જ્યાં માણસ છે ત્યાં છેતરવું અને છેતરાવાનું રહેવાનુ અને ટેક્નોલૉજીએ જેમ બીજી બાબતો સરળ બનાવી છે એમ જ ‘આર્થિક છેતરપિંડી’ પણ સરળ બનાવી છે! તો શું બાળકોને આર્થિક વ્યવસ્થાપન ન શીખવવું જોઈએ? સવાલ એ નથી કે બાળકોને નાનપણથી પૈસા પાછળ દોડતાં કરીએ પરંતુ જીવનનાં ઘણાં મહત્ત્વના પાંસાંઓ જેનાં પર અવલંબે છે એ આર્થિક બાબતની વાસ્તવિક સમજ મળે એવું ગોઠવવું તો જોઈએ. અલબત, વિશ્વની ૩૩% શાળાઓએ ‘ફાઇનાન્સિયલ લિટરસી’ (આર્થિક સાક્ષરતા) નામે એક વિષય ભણાવવાનું ધીમે ધીમે શરુ કર્યું છે એનો આનંદ છે. પરંતુ, આપણું બાળક જ્યાં ભણવા જાય છે એ શાળામાં આર્થિક શિક્ષણ ન આપવામાં આવતું હોય તો? તો ફિકર નોટ! ‘અપ્પ દીપો ભવ:’ ચાલો, આપણે ઘેર શું શું કરી શકીએ જેથી બાળકો પોતાનું આર્થિક વ્યવસ્થાપન સરસ રીતે કરી શકે એની યાદી બનાવીએ!
૧) આર્થિક નિર્ણયોમાં બાળકોને જોડીએ:
બાળકને પ્રત્યેક પસંદગીની પ્રક્રિયામાં ઉતારવું પડશે; દર વખતે બાળકને બદલે આપણે નિર્ણય કરી લઈએ તો એનામાં એ કુનેહ નહીં વિકસે. એણે એની બચતમાંથી કપડાં ખરીદવા છે કે રમકડાં એ પસંદગી બાળક કરે ત્યારે એની સાથે બંનેના લાભાલાભ ચર્ચીએ. તદુપરાંત, પરિવાર માટે પણ કશુક ખરીદવાનું હોય ત્યારે બાળક સાંભળે એમ ઓછામાં ઓછું બે વખત આપણે સૌને પૂછવું જોઈએ, “શું આ વસ્તુની આપણે ખરેખર જરૂર છે? અત્યારે જ જરૂર છે??” આવા પ્રશ્નો બાળકોને અગ્રીમતા નક્કી કરતાં શીખવે છે.
ઉદાહરણ તરીકે, પારિવારિક પ્રવાસમાં જતા પહેલાં આખા પ્રવાસનો અંદાજિત ખર્ચ કેટલો કરીશું એનું આયોજન કરવું જોઈએ અને બાળક જો લખી શકતું હોય તો એની પાસે જ યાદી બનાવવી જોઈએ કે મુસાફરી ખર્ચ, ભોજન, રહેવાનો, ખરીદીનો, ઈમરજન્સી વગેરે ખર્ચનો એક અંદાજ કાઢીએ. જો આમ ન કરીએ તો બાળકો એમ જ માનવા લાગે કે જેટલાં રૂપિયાની જરૂર પડશે એટલા પપ્પા કે મમ્મી પાસે હોય જ છે અથવા હશે જ. આ બહુ જ જોખમી છે. કારણકે આવું વિચારનાર બાળક આગળ જતાં બેફામ બનતું હોય છે અને એને એમ પણ લાગવા લાગે છે કે “મારે જેટલાં રૂપિયા જોઈએ એટલાં મને આપવા એ મારાં વાલીની ફરજ છે!” આના બદલે આર્થિક નિર્ણયોમાં બાળકોને સાથે રાખીએ ત્યારે એને ખ્યાલ આવે છે કે કુટુંબના સામૂહિક રૂપિયા સૌ માટે છે અને ક્યારેક મારી ઈચ્છા પ્રમાણે મને ન પણ મળે.
હવે તો મોબાઈલમાં એવી એપ્લીકેશન (દા.ત.,Home Budget, Piggybot, Bankaroo, વગેરે) પણ આવે છે જેમાં આપને આવક, જાવક અને ખર્ચની વિવિધ માહિતીઓ દાખલ કરીએ તો એ આપણને ઝડપથી બધી ગણતરીઓ કરી આપે છે. બાળકનું બચત-બોક્સ બનાવીએ એમાં ત્રણ વિભાગ બનાવીએ: ૧) નજીકના ભવિષ્યમાં જે વસ્તુ ખરીદવાની છે તે માટેની બચત, ૨) લાંબા સમયે ખરીદી કરવા માટે એકઠાં કરવા માટેની બચત અને ૩) ભગવાનનો ભાગ. આ ત્રીજો ભાગ પરીવાર માટે અથવા તો બહાર કોઈને કશુક આપવા માટેની બચત બને જેથી એક બહુ મોટું જીવન મૂલ્ય પણ કેળવાય. આર્થિક બાબતોથી ઊભો થતો તણાવ અટકાવવા માટે બાળપણમાં જ આ બજેટની સમજ આવી જાય તો આગળ જતા અનેક પ્રકારની આર્થિક ગૂંચવણોમાંથી બચી શકાય. બાળકોને રમત રમતા રમતા પણ બજેટીંગ શીખવી શકીએ જેમ કે 'મોનોપોલી', 'નવો વ્યાપાર', 'ધ ગેઈમ ઓફ લાઈફ' કે પછી 'પે-ડે' જેવી રમતોનો પણ ઉપયોગ થઈ શકે.
૨) ખર્ચની મર્યાદા અને જવાબદારી નક્કી કરીએ:
બાળકને એની જરૂરીયાત પૂરી કરવા માટે અઠવાડિયે/મહીને કેટલા રૂપિયા મળશે એ નક્કી કરીએ. જેથી બાળકોમાં એક માર્યાદિત રકમમાં પોતાની જરૂરિયાતોને કેમ સંતોષવી એની સમજ વિકસે છે. મારાં ભત્રીજા સાથે હું નાસ્તાનો ડબ્બો ખરીદવા માટે ગયો. એણે દુકાનમાંથી એને ગમતો એક સુંદર ડબ્બો પસંદ કર્યો જેમાં લાઈટ થતી હતી અને એની કિંમત રૂ.૪૦૦/- હતી. મેં એને કહ્યું કે તારાં નાસ્તાના ડબ્બા માટે મારું બજેટ રૂ. ૨૦૦ જ છે એટલે ઉપરના જેટલાં રૂપિયા થાય એ તારી બચતમાંથી ખર્ચીશું. એટલે એણે અનેક ડબ્બાઓ જોયા, તેની કિંમત ગણી અને છેલ્લે તુરંત જ રૂ. ૨૩૦ વાળો એક ડબ્બો પસંદ કર્યો! આમાં ખર્ચની મર્યાદા અને જવાબદારી બંને નક્કી થયું.
પૈસાને ધીમે ધીમે બચત કરવાથી બાળકોમાં ધૈર્ય વિકસે છે. આજકાલ દરેક બાબતોમાં ઝડપ વધી છે એટલે આપણને સૌને “ઈન્સ્ટંટ ગ્રેટીફિકેશનની” ટેવ પડી ગઈ છે અર્થાત્ જ્યારે ઇચ્છીએ ત્યારે સુખ મળવું જોઈએ. આ જોખમી વ્યસન છે. બાળકો માટે કોઈ બાબતની રાહ જોવી થોડી મુશ્કેલ તો છે પણ એની પણ એક રીત છે. ઉદાહરણ તરીકે, બાળકને એમ કહીને પ્રોત્સાહિત કરી શકાય કે જો એ અમુક વસ્તુ એક અઠવાડિયું મોડી ખરીદે તો તેને અમુક પ્રકારની વિશેષ ભેટ આપી શકાય. મન થાય ત્યારે તુરંત જ ખરીદવાથી ઘણીવાર છેતરવાનું કે વસ્તુ મોઘી મળવાની શક્યતાઓ વધી જાય છે એવી વાતો ઘરમાં વારંવાર કરીએ. ઘણીવાર એવું બને કે આપણે કોઈ વસ્તુ અમુક દિવસો પછી ખરીદીશું એવો નિર્ણય કરીએ ત્યારે એ દિવસો દરમિયાન આપણને સમજાય છે કે હકીકતે તો એ વસ્તુની જરૂર જ નથી. બાળકોને બધું જ તુરંત આપવાથી એમનામાં અધીરાઈ વધે છે અને વસ્તુ ન મળતાં ગુસ્સો અને ચિડીયાપણું વધે છે.
૩) બાળકની બચતને પ્રોત્સાહન આપીએ:
બાળકોને અઠવાડિયે આપવામાં આવતો ખિસ્સા ખર્ચ ૧૦ દિવસે કરીએ તો? તો એમને ૧૦ દિવસ સુધી પોતાની પોકેટ-મનીનું વ્યવસ્થાપન કરવું પડશે. ક્યારેક પ્રયોગ માટે અઠવાડિયાને બદલે દર બે દિવસે એને પૈસા આપવા. તમે પ્રયોગ દ્વારા જાણી શકો કે તમારાં બાળકની ખર્ચ કરવાની કે બચત કરવાની ટેવ કેવી બની રહી છે! જ્યારે બાળકને બચત કરતાં શીખવીએ ત્યારે એ પ્રક્રિયાને પ્રોત્સાહિત કરવા માટે આપણે પણ એની બચતમાં આપણું પ્રદાન ઉમેરીએ. ઉદાહરણ તરીકે બાળક ૧૦ રૂપિયાની બચત કરે તો આપણે એમાં ૫ રૂપિયા ઉમેરીએ. થોડાં મોટા બાળકો માટે બેંકમાં સેવિંગ ખાતું પણ ખોલાવીએ જેથી બાળક માટે આર્થિક વ્યવસ્થાપન શીખવા માટેનો એક મોટો ક્લાસ શરુ થઈ જશે. બાળકે બેંક પર આવતું-જતું થાય ત્યારે અનેક બાબતો શીખવા લાગશે. જેમ કે વ્યાજ કોને કહેવાય, બેંક સ્ટેટમેંટ કેવી રીતે જોવાય, ATM મશીનનો ઉપયોગ કેવી રીતે કરાય અને સૌથી અગત્યનું બેંકના કર્મચારીઓ સાથે કેવી રીતે વાત કરાય.
૪) આર્થિક ભૂલોની ચર્ચા કરીએ:
મોટેરાઓ માટે પોતાની આર્થિક ભૂલ કબૂલવી અને સૌને કહેવી એ ખરેખર મૂશ્કેલ છે પણ અશક્ય નથી. આપણે અગાઉ જોયું કે ભારતમાં ઓનલાઈન ફ્રોડની સંખ્યા લાખોમાં છે. સમાચારપત્રોમાં કે ટીવીમાં આવા બનાવોની વિગતો આવ્યા જ કરે છે. તો બાળકો સાથે એની વાતો કરીએ. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક સરસ પહેલ કરવામાં આવી છે જેમાં ‘રાજુ અને ૪૦ ચોર’ નામની કે સુંદર કોમિક વાર્તાની ચોપડી તૈયાર કરવામાં આવી છે. આ ચોપડીમાં ચિત્રો અને વાર્તા દ્વારા આપણે ઓનલાઈન ફ્રોડનો શિકાર થતાં કેવી રીતે બચી શકીએ તેનાં ઉદાહરણો આપવામાં આવ્યા છે (આ પુસ્તિકા ઓનલાઇન ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. તો દેર કિસ બાત કરી...ગૂગલ કરો મારાં વાલીડા..!) બાળકો ક્યારેક કોઈ નાની આર્થિક ભૂલ કરે ત્યારે એના પરિણામોની ચર્ચા કરીએ; એવું કેમ થયું એનું પૃથક્કરણ કરીએ અને એનામાં પણ એ સમજ વિકસે એવો ચિંતન અવકાશ એમને આપીએ.
૫) બાળકોને બજારમાં મોકલીએ:
બાળકોને બજાર સાથે જોડતી વખતે આપણે સજાગપણે કેટલીક બાબતો જોવી જોઈએ. જેમ કે એક માતા બાળકને મોલમાં લઈ જાય છે, ખરીદી કરીને બીલ ચૂકવવા જાય છે અને કાર્ડ સ્વાઇપ કરીને અથવા તો ઓનલાઇન પૈસા ચૂકવે છે. ત્યારે સાથે રહેલ બાળકને એમ જ લાગે છે કે વસ્તુ ખરીદવી તો ખૂબ સહેલી છે એટલે હું જે કહું એ મમ્મી મને કેમ નથી લઈ આપતી? આમાં તો માત્ર એક પ્લાસ્ટિકનું કાડ જ ઘસવાનું છે! એટલે આ બાળક મોલમાં જ ધમપછાડા શરુ કરે છે! એટલે ઘરમાં પૈસા કેવી રીતે આવે છે એની સ્પષ્ટ સમજ મળે એ માટે ક્યારેક માતા-પિતા જ્યાં કામ કરે છે એ જગ્યા જોવા અને કામ દેખાડવાનો એક દિવસ રાખી શકાય. થોડાં મોટા થતાં બાળકોને શાકભાજી, સ્ટેશનરી અને નાસ્તા જેવી બાબતો સ્વતંત્ર રીતે ખરીદી કરવા માટે મોકલવા જોઈએ. આમ કરવાથી તમે જોશો કે બાળકો પૈસાને સાચવતા, વસ્તુને સાચવીને લાવતા, હિસાબ કરતા તો આવડશે જ અને જે દુનિયામાં એને આગળ જઈને આ બધું જ કરવાનું છે એનો પરિચય કેળવશે.
પૈસાનું વિજ્ઞાન માત્ર આર્થિક નથી પણ મનોવૈજ્ઞાનિક છે. પ્રત્યેક આર્થિક બાબત સાથે નિર્ણયો લેવાની પ્રક્રિયા જોડાયેલી છે. બાળકોને આર્થિક વ્યવસ્થાપન શીખવવાનો હેતુ સ્પષ્ટ નિર્ણય લેતા શીખવવાનો છે, લીધેલા નિર્ણયના પરિણામોનું અનુમાન કરતાં શીખવવાનો છે, બદલાતા સમય સાથે પૈસા સાથે જોડાયેલ સંબંધોની જટિલતા સમજાવવાનો છે અને સાથોસાથ નિરાંતે ઊંઘ આવે એ માટે પૈસાને મગજમાં કેમ ઘૂસવા ન દેવો એ જાદુ શીખવવાનો પણ છે!
તો હવે બાળકોને આપવાના સંસ્કારોની યાદીમાં આર્થિક સંસ્કાર ઉમેરીએ???*
Monday, 2 December 2024
भारतीय मूल के कृष अरोड़ा को 162 के IQ स्कोर के लिए जाना जाता है।
Sunday, 1 December 2024
Children Eye Problem :
Children Eye Problem :
Children Eye Problem : बच्चे काफी सेंसेटिव होते हैं, इसलिए बीमारियों की चपेट में जल्दी आ जाते हैं. पिछले कुछ समय से एक बीमारी बच्चों को तेजी से अपना शिकार बना रही है. दुनिया का हर तीसरा बच्चा इस बीमारी से जूझ रहा है. यह आंखों से जुड़ी बीमारी है, जिसे मायोपिया (Mayopia) कहते हैं।
Earth Largest Cities Are Sinking In Ocean:
विश्व में जलवायु परिवर्तन का असर साफ देखने को मिल रहा है. जहां एक ओर लोगों को सूखे का सामना करना पड़ रहा है तो दूसरी ओर बेमौसम बारिश ने आम जन-जीवन को बेहाल कर दिया है, लेकिन क्या आप जानते हैं इस जलवायु परिवर्तन बड़े शहरों पर बहुत ज्यादा है? दरअसल न्यूयॉर्क, जकार्ता और मैक्सिको सिटी जैसे शहर जल्द समुन्द्र में समां जाएंगे. इन शहरों का जलस्तर तेजी से बढ़ रहा है. वैज्ञानिकों का मानना है कि इन शहरों का अस्तित्व जल्द ही समाप्त हो जाएगा।
વનસ્પતિમાં પ્રજનન
-
वेस्ट लंदन के हाउंस्लो (Hounslow) में रहने वाले इंडियन-ब्रिटिश कृष अरोड़ा (Krish Arora) ने दुनिया को चौंका दिया है। कृष सिर्फ 10 साल का है, ...
-
બાળકોને ‘આર્થિક સંસ્કાર’ કેવી રીતે આપીશું? અને છેતરપીંડીથી કેમ બચાવીશુ? - વિશાલ ભાદાણી- ગત વર્ષે ભારતમાં લગભગ 23 લાખ ઓનલાઈન ફ્રોડ નોંધાયા! આ...
-
Gcas - Gujarat common addmission services ગુજરાત રાજ્ય, શિક્ષણ વિભાગ દ્વારા સ્નાતક, અનુસ્નાતક અને અન્ય બાબતોમાં 15 જેટલી યુનિવર્સ...


