પ્રમુખસ્વામી મહારાજ
પ્રમુખસ્વામી મહારાજ (1921-2016)
પ્રમુખસ્વામી મહારાજ (૭ ડિસેમ્બર ૧૯૨૧ - ૧૩ ઑગસ્ટ ૨૦૧૬) સ્વામિનારાયણ ભગવાનના પાંચમા આધ્યાત્મિક વારસદાર અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તેમજ ગુરુ હતા. સત્તામૂલક રીતે, સ્વામિનારાયણનો શાશ્વત નિવાસસ્થાન અક્ષરનો અભિવ્યક્તિ મનાતા હતાં.
પ્રમુખ સ્વામી નું બાળપણ નું નામ શાંતિલાલ હતું. તેમણે શાસ્ત્રીજી મહારાજને પોતાના ગુરુ માન્યા હતા. પ્રમુખસ્વામી મહારાજે ૧૯૪૦ માં બીએપીએસના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ પાસે થી ભગવતી દીક્ષા લીધી, જેમણે પછીથી તેમને ૧૯૫૦ માં બીએપીએસના પ્રમુખ અને ગુરુ તરીકે નિયુક્ત કર્યા. યોગીજી મહારાજ પ્રમુખસ્વામી મહારાજને તેમના આધ્યાત્મિક અનુગામી અને બીએપીએસના ગુરુ તરીકે ઘોષણા કર્યા, જેની ભૂમિકા તેમણે ૧૯૭૧ માં શરૂ કરી હતી.
બીએપીએસ પ્રમુખ તરીકે પ્રમુખ સ્વામી મહારાજે ગુજરાત કેન્દ્રિત સંસ્થાને વિશ્વ ફલક પર ફેલાવી. તેમણે નવી દિલ્હી અને ગુજરાતના ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરો સહિત ૧૨૦૦ થી વધુ સ્વામીનારાયણ મંદિરો બનાવ્યા. તેમણે બીએપીએસ દાનના પ્રયત્નોને પણ આગળ ધપાવ્યો હતો, તેમણે કુદરતી હોનારતો વખતે લોકો ને ખૂબ મદદ કરી હતી. તેમણે અનેક નિશુલ્ક ગુરુકુળો અને હોસ્પિટલો નું નિર્માણ પણ કરાવ્યું હતું.પોતાના અક્ષરધામ ગમન પહેલા તેમણે મહંત સ્વામી મહારાજ ને પોતાના આધ્યાત્મિક વારસદાર તરીકે નિયુક્તિ કરી હતી. મહંત સ્વામી મહારાજ પણ આજે પોતાનાં ગુરુ ની જેમ BAPS સંસ્થાને વિશ્વફલક પર પહોંચાડી રહ્યા છે.

No comments:
Post a Comment