Thursday, 21 December 2023

શ્રીનિવાસ રામાનુજન

 શ્રીનિવાસ રામાનુજન 


સામાન્ય માહિતી:


જન્મ સ્થળ: ઈરોડ
જન્મ તારીખ: 22 ડિસેમ્બર, 1887
મૃત્યુ: 26 એપ્રિલ, 1920, કુમ્બકોનામ
જીવનસાથી: Janakiammal
શિક્ષણ: Trinity College (1914–1916)
માતાપિતા: Komalatammal, કુપ્પુસ્વામી શ્રીનિવાસ આયંગાર

શ્રીનિવાસ ઐયંગર રામાનુજન ૨૦મી સદીમાં ભારતના સૌથી મહાન અને સૌથી પ્રખ્યાત ગણિતજ્ઞ હતા. નાનપણથી જ તેઓ ગણિતમાં અસાધારણ પ્રતિભા દેખાડી શિક્ષકોને અચંબામાં નાખી દેતા હતા. મુખ્યતઃ તેઓ ગણિત જાતે જ શિખ્યા હતા અને જીવનમાં ક્યારેય યુનિવર્સિટી ગયા નહોતા.

રામાનુજનની પ્રતિભાની ઓળખ વિશ્વને કરાવી રામાનુજનને પ્રસિદ્ધ કરવામાં અંગ્રેજ પ્રોફેસર ગોડફ્રી હાર્ડીનો મોટો હાથ હતો. તેમણે ટૂંકા જીવનગાળા દરમ્યાન લગભગ ૩૯૦૦ જેટલાં ગણિતનાં પરિણામો શોધ્યાં હતા. અત્યંત ધાર્મિક રામાનુજને કહ્યું હતું, "ગણિતનુ જે સમીકરણ ઈશ્વરના વિચારને ન દર્શાવતુ હોય, તે સમીકરણ મારા માટે નિરર્થક છે."

સન્માન:

ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૨૬ ડિસેમ્બર ૨૦૧૧ અને ૨૨ ડિસેમ્બર ૨૦૧૨માં રામાનુજનના માનમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.

પ્રખ્યાત કાર્ય: 

મોક થીટા વિધેયો
રામાનુજન પ્રમેયો
રામાનુજનનો પ્રાઇમ
રામાનુજન–સોલ્ડનર અચળ
રામાનુજન થીટા વિધેયો
રામાનુજનના દાખલા
રોજર્સ–રામાનુજન ઓળખો
રામાનુજનનો માસ્ટર પ્રમેય


પુરસ્કારો:

રોયલ સોસાયટી ફેલો



સંદર્ભ: વીકીપીડિયા 

No comments:

Post a Comment

વનસ્પતિમાં પ્રજનન